GUJARATNARMADATILAKWADA

તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર જય શ્રી રામ ના અવાજ થિ ગુંજી ઉઠ્યો હતો

નર્મદા / વસિમ મેમણ

અયોધ્યા ખાતે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશ માં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવ્યું રહી છે ત્યારે તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ ગામોને ભગવા ધ્વજા થી શણગારવામાં આવ્યા હતા ત્યારે વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર જય શ્રી રામ ના અવાજ થિ ગુંજી ઉઠ્યો હતો

ઉલ્લેખની એ છે કે આજે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં દીપાવલી જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભક્તો રામ મંદિરને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા રામધુન ભંડારો સહિત અને કાર્યક્રમો પણ કરવામાં આવ્યા ત્યારે નર્મદા જિલ્લામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઇ ભક્તોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે ઠેર ઠેર લાઈટ ડેકોરેશન, કેસરી ઝંડીઓ લગાડવામાં આવી તો દરેક મંદિરો ઉપર સુંદર લાઈટ ડેકોરેશન કરી શણગારવામાં આવ્યા હતા ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી ત્યારે તિલકવાડા મણીનાગેશ્વર મંદીર ખાતે થિ પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરી કાલાઘોડા, કંથરપુર, ઉચાદ, દેવલ્યા સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર ભક્તો દ્વારા આ શોભાયાત્રા નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તિલકવાડામાં વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા નીકળી રામ મંદિર ખાતે રામધૂન કરી યાત્રા નું સમાપન કરવામાં આવ્યું સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો ત્યારે નર્મદા પોલીસ દ્વારા પણ બાજ નજર રાખી કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!