- ડેડીયાપાડા વડાપ્રધાન ચંદ્રશેખર દ્વારા સ્થાપિત સંસ્થાન માં ગણતંત્ર દિવસની ઊજવણી.
તાહિર મેમણ : 26/01/2024 – પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર દ્વારા સ્થાપિત સંસ્થાન અને હાલ મા ડો કૃષ્ણ મોહન આર્ય દ્વારા સંચાલીત ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા સંચાલિત શ્રી નાલંદા આશ્રમશાળા ચિકદા માં ૨૬ મી જાન્યુઆરી ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા માં ચિકદા ગ્રામ પંચાયત ના સંરપચ લતાબેન બેન મહેન્દ્રભાઈ વસાવા , તેમજ મહેન્દ્રભાઈ વસાવા તેમજ આશ્રમશાળા શાળા ના સહ સંચાલક શ્રસાગર.કે. આર્ય તેમજ ચીકદા ગામ ના આગેવાન ગેબુભાઈ વસાવા તેમજ ગ્રામજનો અને શાળા ના આચાર્ય દિનેશભાઈ.એલ.વસાવા, શૈક્ષણિક કર્મચારીઓ ગીતાબેન વસાવા, રોહનભાઈ ચૌધરી, મિતલબેન કણસાગરા, બિન શૈક્ષણિક કર્મચારીઓ નરેન્દ્રભાઈ વસાવા, ઉર્મિલાબેન વસાવા, મનિષાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા .અને ચીકદા ગ્રામ પંચાયત ના સંરપચ લતાબેન મહેન્દ્રભાઈ વસાવા ના હસ્તે ધ્વજ ને સલામી આપી ને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાળકો ને ચોકલેટ, મિષ્ટાન આપી મોં મીઠું કરાવ્યું. ત્યારપછી આશ્રમશાળા ચિકદા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં અને ધામધૂમથી રાષ્ટ્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી.