પાટડીના વાલેવડા અને ધામામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા.
તા.27/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના રૂસ્તમગઢ ગામે કેનાલના ઓવરફ્લો પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ગુરૂવારે પાટડી તાલુકાના વાલેવડા ગામે સીતાપુર શુસીયા માઇનોર કેનાલમાં શેવાળના કારણે ગાબડું પડતા 25-30 વીઘાના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતો નિરાશ થયા હતા જ્યારે પાટડી તાલુકાના ધામા ગામે સીમમાં વચ્છરાજ પુરા નર્મદા કેનાલ લીકેજ તૂટી જવાથી કેનાલના પાણી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકશાની ઉઠાવવાનો વારો આવ્યો હતો આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને અનેકો રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી આ અંગે ખેડૂત આગેવાન વિજય રામજીભાઈ પંચાલે જણાવ્યું કે આ કેનાલના લીકેજ બાબતે નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે આથી તંત્ર દ્વારા આ કેનાલ તાકીદે રિપેરિંગ કરવામાં આવે એવી વ્યાપક માંગ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે ત્યારે પાટડી તાલુકાના રુસ્તમગઢ બાદ વાલેવડા અને ધામામાં નર્મદા કેનાલના પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી હતી ત્યારે ખેડૂતો માટે આશીર્વાદ સમી નર્મદા કેનાલ રુસ્તમગઢ, વાલેવડા અને ધામાના ખેડૂતો માટે અભિશાપરૂપ બનવા પામી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.