JUNAGADHJUNAGADH CITY / TALUKOUncategorized

ચોરવાડ બંદર પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર સંચાલક કમ કુક ની ભરતી યોજશે

ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૨૩ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ તા.૮  ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે માળિયાહાટીના તાલુકામાં બંદર પ્રાથમિક શાળા ચોરવાડ ખાતે મધ્યાહન ભોજન કેંદ્ર ઉપર સંચાલક કમ કુકની ખાલી પડેલી જગ્યા ભરવા માટે સરકારશ્રીએ નિયત કરેલ માસિક મદન વેતન રૂ. ૩૦૦૦ થી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરવાની થાય છે. આથી યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉમેદવારો એ મામલતદાર કચેરી માળીયાહાટીના ખાતેથી નિયત અરજી ફોર્મ તા. ૨૩/૨/૨૦૨૪ સુધીમાં જાહેર રજા ના દિવસો સિવાય કચેરી દર સમય દરમિયાન મેળવી અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી અરજીમાં ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી અરજીમાં  જણાવેલ તમામ પ્રમાણિત આધાર પુરાવા સાથે સુધીમાં ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન  ભોજન શાખા માળિયાહાટીના ખાતે પહોંચતી કરવાની રહેશે. નિયત સમય મર્યાદા બહારની અરજી રદબાતલ ગણવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલન-કમ-કુકની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઈએ. (ઉંમર તારીખ ૦૧-૦૨-૨૦૨૪ ની સ્થિતિએ ગણવાની રેહશે). ઉમેદવારની પસંદગીમાં સ્થાનિક ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. સ્થાનિક ઉમેદવારના કિસ્સામાં સ્ત્રીઓને તેમજ વિધવા/ત્યક્તા ઉમેદવારોને લાયકાતના ધોરણે અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત લઘુતમ એસ.એસ.સી.(ધો.૧૦ પાસ) રેહશે. એસ.એસ.સી. પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર ન મળે તો ધોરણ ૭ પાસ ઉમેદવાર પસંદ થવા પાત્ર ગણાશે. મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલક કમ કુક તરીકે અરજી કરનાર વ્યક્તિ તે જ ગામમાં વસવાટ કરતા હોવા જોઈએ. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો નજીકના ગામની વ્યક્તિને સંચાલકની જગ્યા માટે વિચારવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!