BHARUCHGUJARAT

અંકલેશ્વરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ:બેંક ઓફ ઇન્ડિયા સામેના 10 ઝૂંપડા બળીને ખાક, કોઈ જાનહાની નહીં

 

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં આશરે 8થી 10 ઝૂંપડાં આગની લપેટમાં આવી ગયા હતા. શ્રમજીવી પરિવારોની તમામ ઘરવખરી આગમાં બળીને ખાક થઈ ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!