જૂનાગઢ એસબીઆઈ આરસેટી ખાતે રોજગારી કૈાશલ્ય વિષય પર કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : એસબીઆઈ આરસેટી જૂનાગઢ ખાતે સર્વ શિક્ષા અભિયાન અને પી.એસ.એસ. કેન્દ્રિય વ્યવસાહિક શિક્ષણ સંસ્થા,ભોપાલ દ્વારા તા.૨૨ થી ૨૪ ફેબ્રુઆરી ત્રિ-દિવસીય વ્યાવસાયિક શિક્ષણ માટે રોજગારી કૌશલ્ય પર શિક્ષકો માટે કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં જૂનાગઢ,ગીર-સોમનાથ અને પોરબંદર જીલ્લાના ૫૫ જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં રોજગારી કૌશલ્ય પર શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એચ.વાઢેર સહિતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકોને વ્યાવસાયિક શિક્ષણ અને રોજગારી પર માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષણમાં વિકાસ કાર્યોને લઈને માહિતી આપવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.