GUJARATNANDODNARMADA

અગામી ૨૬ નવેમ્બરે નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે ‘સંવિધાન દિવસ’ નિમિત્તે સેમિનાર યોજાશે

અગામી ૨૬ નવેમ્બરે નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે ‘સંવિધાન દિવસ’ નિમિત્તે સેમિનાર યોજાશે

રાજપીપલા : જુનેદ ખત્રી

આમ નાગરીકો તથા જાહેર જીવનમાં કામ કરતા તમામ આગેવનોમાં ભારતના બંધારણના સંદર્ભમાં લોક જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૨૬ નવેમ્બર ના રોજ ‘સંવિધાન દિવસ’ તરીકે ઉજવવાનું કેન્દ્ર/રાજ્ય સરકાર નક્કી કરવામાં આવ્યું છે જે સંદર્ભે નર્મદા જિલ્લામાં પણ ‘સંવિધાન દિવસ’ ની ઉજવણી થવાની છે જે અંતર્ગત નર્મદા જિલ્લામાં જીતનગર ખાતે પોલીસ ટ્રેનિંગ હોલમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે

કાયદા વિભાગ ગુજરાત રાજ્ય ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનની કચેરી તેમજ નર્મદા જિલ્લા સરકારી વકીલ ની કચેરી દ્વારા એન.આર.જોષી સાહેબ, ડીસ્ટ્રીકટ જજશ્રી, નર્મદા ની અધ્યક્ષતામાં આગામી ૨૬ નવેમ્બર રવિવારના રોજ જિતનગર પોલીસ હેડકવાટર ખાતે “ભારતનું બંધારણ” વિષય ઉપર સેમીનારનું આયોજન કરાયું છે

સેમિનારમાં મુખ્ય મહેમાન એન.એસ.સીદીકી સાહેબ, એડી.ડીસ્ટ્રીકટ જજ નર્મદા, ડીવાયએસપી વાણી દુધાત, નર્મદા નર્મદા જીલ્લાના તમામ જયુડીશીયલ ઓફીસર ઉપસ્થિત રહેશે

નર્મદા જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આ સેમીનારનું આયોજન કરાયું છે જેમાં જે.જે. ગોહીલ જિલ્લા સરકારી વકીલ, સાથે પ્રોગ્રામ ઇન્ચાર્જ પી.એચ. પરમાર મદદનીશ સરકારી વકીલ, તેમજ વી.આઇ. ભટ્ટ મદદનીશ સરકારી વકીલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!