AHAVADANGGUJARAT

સુબિર તાલુકામાં કુદરતી વાવાઝોડામાં ઘરોને નુકશાન થયુ હતુ.પરંતુ હજુ પણ લોકો સહાયથી વંચિત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં ગત તા.11/04/2023 ના રોજ કુદરતી વાવાઝોડુ ફૂંકાયુ હતુ.જેમાં મોટા ભાગના ઘરોને નુકશાન થયુ હતુ.જે બાદ સ્થાનિકોએ સરકાર પાસે સહાયની માંગણી કરી હતી.પરંતુ હજુ સુધી સ્થાનિકોને સહાય આપવામાં આવેલ નથી.જેને લઇને સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.સુબીર તાલુકામાં તા.11/04/2023 ના રોજ કુદરતી વાવાઝોડું ફૂંકાયું હતુ.વાવાઝોડાને કારણે સ્થાનિકોના ઘરોને મોટાં પ્રમાણમાં જંગીમ  નુકશાન થયુ હતુ.ત્યારે તે અંગેની જાણ તાત્કાલિક ધોરણે તલાટી કમ મંત્રીને  કરવામાં આવી હતી.ત્યારબાદ દરેક  ઘરોના સર્વે કરી નુક્સાની અંગેની ખાતરી કરવામાં આવી હતી.અને નુક્સાનીના ફોર્મ ભરાવી ને તાલુકા કક્ષાએ તા.17/04/2023 ના રોજ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે,કુલ 82 જેટલા ઘરોનું ખરેખર નુકશાન થયું છે.જે બાદ સ્થાનિકોએ સહાય માટે વારંવાર રજૂઆત કરી હતી. પરંતુ સ્થાનિકોને કોઈપણ પ્રકારની સહાય મળી નહોતી.ત્યારે તા. 21/10/2023ના રોજ ગ્રામ સભામાં રજુઆત કરવામાં આવતા  અધિકારીએ કહ્યુ હતુ કે, વાવાઝોડા દરમ્યાન ઓફીસમાંથી અંદાજે 43 જણાના આકડા ઉપર આપી દેવામાં આવ્યા હતા અને એટલાજ જણાની સહાય મંજુર કરવામાં આવેલ છે.અસરગ્રસ્ત  ગરીબ આદિવાસી પરિવારો પરીસ્થિતિ ખુબજ ગંભીર છે ત્યારે લાભાર્થીને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!