JETPURRAJKOT

રાજકોટમાં યોજાનાર યુ.પી.એસ.સી.ની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે પોલીસ કમિશ્નરે જારી કરેલા આદેશો

તા.૧૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી તા.૨૮/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૫.૩૦ કલાક સુધી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં કુલ ૧૪ શાળા-કોલેજોના સેન્ટર ફાળવવામાં આવ્યા છે. આ પરીક્ષા સુચારુ રીતે પાર પાડવા અંગે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા આ મુજબના આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ પરીક્ષા સુચારુ રીતે પાર પાડવા અંગે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા આ મુજબના આદેશો જારી કરવામાં આવ્યા છે.

(૧) રાજકોટ શહેરના જે જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નકકી કરવામાં આવેલ છે. તે શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં.

(ર) પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન અને ફેકસ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. અને ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. તેમજ શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની ૧૦૦ મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહી.

(૩)પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, બ્લુટુથ, આઇ.ટી. ઉપકરણો જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી.

(૪) શાળા-કોલેજોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને તે ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!