તા.૧૮.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગર સહિત પંથકમાં દેવાધી દેવ મહાદેવ નો પાવન પર્વ એટલે મહા શિવરાત્રી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં આજે કરવામાં આવી હતી.શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અને નગરના તમામ શિવ મંદિરો હર હર ભોલે બમ બમ ભોલે નાં નારાથી શિવાલયો ગૂંજી ઉઠ્યા હતા.શિવરાત્રી એ શિવ ભક્તો માટે અનેરું મહત્વ તેમજ ભોલેનાથ ને રીઝવવાનો અનમોલ તેહવાર ગણાય છે.આજે મહા સુદ તેરસ શનિવારના રોજ મહા શિવરાત્રી પર્વને લઇને નગરની મધ્યમાં તળાવ કિનારા પર આવેલ અતિ પૌરાણિક શારનશ્વેર મહાદેવ મંદિર, કંજરી રોડ સ્થિત નીલકંઠ મહાદેવ તેમજ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરીહર મહાદેવ મંદિર,વડોદરા રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિર,સ્માશન ગૃહ ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર,બિલિયાપૂરા ખાતે આવેલ બાલાભોલા મહાદેવ મંદિર તેમજ પાવાગઢ ની તળેટીમાં ધાબા ડુંગરી ખાતે ૮૦ ફૂટ લાંબી ગેબી ગુફામાં બિરાજમાન કેદારનાથ મહાદેવ તેમજ હાલોલ તાલુકાના મદાર ગામે આવેલ ૧૧ મી સદીમાં સોલંકી યુગમાં સ્થાપિત થયેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે નાં શિવ મંદિરોમાં વહેલી સવાર થી જ બપોરના બાર કલાક સુધી શિવજીને શિવ ભક્તો દ્વારા પંચામૃત અભિષેક કરી શિવજીને દૂધ,શીતલ જલ તેમજ કાળા તલ,બિલી પત્ર ફૂલ ધરાવી શિવજીને રીજવાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.તમામ મંદિરો ખાતે વેહલી સવારથી મોડી રાત્રી સુધી શિવ ભક્તો નો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો અને શિવભક્તો શિવજીના દર્શન કરી ધન્યતા પામ્યા હતાં.મહા શિવરાત્રી પર્વને લઇ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિવજીની શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર યોજાઇ હતી. તેમાં નગરના મધ્યમાં તળાવ કિનારા પર આવેલ શારણેશ્વર મહાદેવ ની શોભાયાત્રા બપોરના ચાર કલાકે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભૂદેવો તેઓના પરંપરા ગત મુજબ પિતંબર પહેરી શોભાયાત્રા માં જોડાયા હતા. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી મંદિર ખાતે પરત ફરી હતી. જ્યારે કંજરી રોડ ખાતે આવેલ નીલકંઠ મહાદેવની પણ શોભાયાત્રા કંજરી રોડ ખાતે નીકળી હતી.જ્યારે સમસ્ત બ્રહ્મ સમાજ હાલોલ માતૃ સંસ્થા દ્વારા મહા શિવરાત્રી પર્વને લઇ હોમાત્મક લઘુરુદ્ર તેમજ હરિહર મહાદેવ નો પાટોત્સવ ની ઉજવણી હરિહર મહાદેવ હાલોલ ગોધરા બાયપાસ રોડ પર કરવામાં આવી હતી.જેમાં હોમાત્મક યજ્ઞ ની પૂર્ણાહુતી સાંજે ૬:૩૦ કલાકે પુર્ણ થયા બાદ સાંજે ૭ કલાકે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું અને કલરવ શાળા પરીવાર દ્વારા મહા પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ શુભ પ્રસંગે નગર સહિત તાલુકાના શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.