તા.૨/૨/૨૦૨૪
વાત્સલમ્ સમાચાર
Rajkot, Upleta: ઉપલેટા તાલુકાનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪, બુધવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મામલતદારશ્રીની કચેરી, ઉપલેટા ખાતે ગ્રામ્ય નાયબ કલેકટરશ્રી બી.એ.અસારીનાં અધ્યક્ષસ્થાને યોજાશે.
જેમાં સંબંધકર્તા અરજદારોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સંબધિત કચેરીને રજુઆત કર્યાં બાદ અનિર્ણિત હોય તેવા પ્રશ્નો તા.૧૦ ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી રજૂ કરી શકાશે.
અત્રે એક જ વિષયને લગતી રજુઆત અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખી બે(૨) નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, ઉપલેટા ખાતે નિયત તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે. ત્યારબાદ રજુ થયેલ અરજીઓનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ તેમ ઉપલેટા મામલતદારશ્રી એમ. ટી. ધનવાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.