તા.૫/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: એન.સી.સી. ગ્રુપ રાજકોટ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આગામી તા. ૭ ઓક્ટોબરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એન.સી.સી. ના કેડેટ્સમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉજાગર કરવાના ભાગરૂપે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહજી તેમજ એન.સી.સી. ગુજરાતના એ.ડી.જી. મેજર જનરલ આર.શણ્મુગમ જી. ખાસ ઉપસ્થિત રહી દાતાઓને પ્રોત્સાહિત કરશે.
એન.સી.સી. હેડક્વાર્ટર ખાતે સવારે ૯ કલાકથી બપોરે ૨ વાગ્યા દરમ્યાન આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં એન.સી.સી. કેડેટ્સ, અધિકારીઓ અને સ્ટાફ ઉપરાંત સામાજિક સંસ્થાના વોલિયેન્ટર્સ પણ સહભાગી બનશે. નગરજનોને આ કેમ્પમાં સહભાગી થવા રાજકોટ-૨ ગુજરાત બટાલીયનના કર્નલ એસ. એસ. બીસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.