તા.૨૯/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરના કાગવડ ખોડલધામ ગામના વાડી વિસ્તારમાં એક વિશાળકાય અજગર ચડી આવતા સાપ રેસ્ક્યુઅરે તેનું રેસ્ક્યુ કરી અજગરને સલામત જગ્યાએ છોડ્યો હતો.
કાગવડ ખોડલધામ મંદિરની સામેની બાજુ વાડી વિસ્તારમાં ધીરુભાઈ ડોબરીયાની વાડીમાં એક વિશાળકાય અજગર ચડી આવ્યો હતો. જેથી વાડી માલિકે સાપનું રેસ્ક્યુ કરતાં વિમલભાઈ રામાણીને બોલાવેલ હતાં. વિમલભાઈએ સ્થળ પર જઈને જોતાં અજગરે ખોરાક ખાધેલ હોવાથી વાડીની ફરતે જંગલી ભૂંડથી બચવા માટે ફેન્સિંગ કરેલ પ્લાસ્ટિકની ઝાળીમાં ફસાઈ ગયો હતો.
જેથી રેસ્ક્યુઅરે પ્રથમ પ્લાસ્ટિકની ઝાળી કાપીને અજગરને દોરીમાંથી મુક્ત કરાવ્યો બાદમાં સલામતીના સાધનોથી તેને પકડીને સુરક્ષિત સલામત જગ્યાએ તેને મુક્ત કર્યો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.