તા.23/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મુળી તાલુકાનાં ખાટડી આવેલ વિજ સબ સ્ટેશનમાંથી દુધઈ ખાટડી સાથે અન્ય ગામોમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગામડાંમાં વિજ પુરવઠો ફાળવવામાં આવે છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી જ્યોતિગ્રામ યોજના લાઈનમાં ૨૪ કલાકમાં ૨૭ ટ્રીપ આવે છે અને ઝબુક વિજળી યોજના હોય તેમ લોકો કહી રહ્યા છે આ બાબતે સબ સ્ટેશનમાં સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે લાઈન ફોલ્ટ સતત રહ્યાં કરે છે તેનાં કારણે લાઈનમાં વિજ પુરવઠો નિયમિત રીતે ચાલતો નથી અને લાઈનમેન ફાળવણી કરવામાં ઉચ્ચ અધિકારીઓ નિષ્ફળતા મળી હોય તેમ હોય જેમાં લાઈન ઉપર પોલ પર વૃક્ષ વેલ ચડી જવા પામી છે તેનાં કારણે હોય શકે અથવા આ જ્યોતિગ્રામ યોજના લાઈનમાં લંગર નાખી કોઈ પાવરચોરી કરતું હોય ત્યારે વિજ પુરવઠો બંધ થાય છે માટે ટ્રીપ આપવામાં આવે છે ખરેખર ઉનાળામાં પોલ ને અર્થિગ થતાં વૃક્ષ વેલને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આ કોઈ કામગીરી આ લાઈન ઉપર થયેલ નથી અને તાર વાયર પણ વર્ષો જુના હોય તેનું રીપેરીંગ કામ કરવામાં આવેલ નથી તે કારણો પણ હોય છે લોકો દ્વારા કહેવામાં આવે છે કે જો ઉનાળામાં જ્યોતિગ્રામ યોજના લાઈનમાં ફોલ્ટ સર્જાતા હોય તો ચોમાસામાં આ વિજ લાઈનમાં વિજ પુરવઠો કેવી રીતે ચાલશે? આ બાબતે ઉચ્ચ અધિકારીઓ નો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ ફોન રિસિવ કરવાની તસ્દી લીધી નહોતી ત્યારે જ્યોતિગ્રામ યોજના હવે ઝબુક વિજળી યોજના ગામડાંઓમાં બની ચુકી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.