અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના માં ભ્રષ્ટચાર ની તપાસ નય કરવામાં આવે તો ધારણા પર બેસીસ ડેડીયાપાડા ધારાસભ્ય.
અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના માં ભ્રષ્ટચાર ની તપાસ નય કરવામાં આવે તો ધારણા પર બેસીસ ડેડીયાપાડા ધારાસભ્ય.
તાહિર મેમણ :ડેડીયાપાડા – 27/07/2023 – રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં જળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી, લોક ભાગીદારીથી હાથ ધરી શકાય તેવી કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સિંચાઈ વિભાગ દ્વારા
અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકીને ૪૨૩ તળાવો પૂર્ણ કરવામાં
આવેલ છે. આ બાબતે ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર ભાઈ એ ગુજરાત ના મુખ્ય સચિવ ને પત્ર લખીને જણાવ્યુ છે કે અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના માં ભ્રષ્ટચાર ની તપાસ નય કરવામાં આવે તો ધારણા પર બેસીસ ડેડીયાપાડા ધારાસભ્ય પત્ર માં જણાવ્યુ છે કે જેમાં સ્થાનિક આગેવાનોને સાથે રાખી તપાસ કરતા માલુમ પડેલ છે કે મનરેગા
યોજનામાં ગ્રામ પંચાયતના નેજા હેઠળ મસ્ટર ભરીને લોક ભાગીદારીથી થયેલી કામગીરી
સિવાયના તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. નર્મદા જિલ્લામાં અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ,વોટરશેટ દ્વારા મશીનરીથી કરવામાં
આવેલ વન તલાવડીઓની કામગીરીમાં ખુબજ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે.
કેટલાક તળાવમાં પાવડા પણ નથી માર્યા અને કામ પૂર્ણ બતાવી લાખો રૂપિયાના ચુકવણા કરી
દેવામાં આવેલ છે. કેટલાક તળાવોના મનરેગા યોજના અને સુજલામ સુફલામ યોજના, આમ બે
યોજનામાં ૫ થી ૭ લાખ સુધી ચુકવણા કરી દેવામાં આવેલ છે. કેટલીક જગ્યા કામગીરી થયેલ
નથી, છતા પણ વરસાદથી ભરાયેલા તળાવોના ચુકવણા કરી દેવામાં આવેલ છે. દર વખતની
જેમ આ યોજનાઓમાં ઉનાળામાં કોઇપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી વરસાદ
આવવાના સમયે એક-બે દિવસ અધુરી કામગીરી કરી અને કેટલાક તો વગર કામગીરીએ પાણી
ભરાયા બાદ લાખો રૂપિયાના ચુકવણાઓ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે.નર્મદા જિલ્લામાં અમૃતસરોવર તથા સુજલામ સુફલામ યોજના ૨૦૨૩ માં થયેલ વન
તલાવડીઓ,નવા તળાવ ઊંડા કરવાની કામગીરી અને નાણાના ચુકવણાની વિજિલન્સ ટીમ દ્વારા
તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે
એવી અમારી માંગણી છે. જો આમ કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં કલેકટર કચેરી
નર્મદા ખાતે અમને લોકો સાથે ધારણા પર બેસવાની ફરજ પડશે. જેની ગંભીર નોંધ લેવામાં
આવે તેમ ચેતર ભાઈ એ જણાવ્યુ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.