બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટએ જાહેરમાં માફી માગવા આદેશ આપ્યો
1 અઠવાડિયામાં ભૂલ સુધારો
યોગ ગુરુ બાબા રામદેવને ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. મંગળવારે કોર્ટની સુનાવણી દરમિયાન બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માગી હતી, પરંતુ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનતુલ્લાની ખંડપીઠે કહ્યું કે, તમને જાહેરમાં માફી માગવા કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે, બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ એક સપ્તાહની અંદર તેમની ભૂલ સુધારવા માટે પગલાં લેવા જોઈએ. હવે આ કેસની સુનાવણી 23 એપ્રિલના થશે.
અગાઉ સુનાવણી દરમિયાન બાબા રામદેવે કહ્યું હતું કે, અમારાથી જે પણ ભૂલ થઈ છે તેના માટે અમે બિનશરતી માફી માગીએ છીએ. જસ્ટિસ કોહલીએ કહ્યું કે, તમે જે પ્રચાર કરી રહ્યા છો તેના વિશે તમે શું વિચાર્યું છે. આપણાં દેશમાં ઘણી પદ્ધતિઓ છે, પરંતુ અન્ય દવાઓ ખરાબ છે, શા માટે? તેના પર રામદેવે કહ્યું કે, અમે કોર્ટની માફી માગીએ છીએ. અમે પાંચ હજાર સંશોધનો કર્યા છે અને આયુર્વેદને પુરાવા આધારિત રીતે રજૂ કર્યા છે.
જસ્ટિસ કોહલીએ કહ્યું કે, જ્યારે તમારા વકીલે અહીં સ્પષ્ટ કહ્યું કે, ભવિષ્યમાં આવું નહીં થાય. તેમ છતાં તમે બીજી દવા વિશે જાહેરમાં નિવેદન આપ્યું. બાબ રામદેવે કહ્યું કે, અમારે આવું નહોતું બોલવું જોઈતું. અમે આગળથી ધ્યાન રાખીશું. આવું નહોતું કહેવું જોઈતું.
જસ્ટિસ કોહલીએ કહ્યું કે, કોઈ અસાધ્ય બીમારીની સારવારનો પ્રચાર નથી કરી શકતા. કોઈપણ પદ્ધતિમાં નથી કરી શકતા. આ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું. આ એક બેજવાબદારીભર્યું વર્તન હતું. આ દેશની જનતા અને અદાલતને તમારી પાસેથી આની આશા નથી. રામદેવે કહ્યું કે, તમારી વાત સાચી છે. આ મને પણ શોભા નથી દેતું. બાલકૃષ્ણે કહ્યું કે, અમે સંશોધન કરીએ છીએ. પ્રચાર અજ્ઞાનતામાં કરવામાં આવ્યો જે કાયદાકીય રીતે ન કરવો જોઈએ.
રામદેવે કહ્યું કે, કોર્ટનો અનાદર કરવાનો મારો ઈરાદો નહોતો. અમે 5,000 હજાર સંશોધન કર્યા. અમે કોઈની ટીકા નથી કરી. ભવિષ્યમાં આનું પુનરાવર્તન નહીં થાય. જસ્ટિસ કોહલીએ કહ્યું કે, અમે માફી વિશે વિચારીશું. અમે હજુ સુધી માફી આપી નથી. તમે એટલા અજ્ઞાની નથી કે તમને કંઈ ખબર ન હોય. કોર્ટ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરી રહી છે. એલોપેથી અને આધુનિક દવાને લગતી ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવા માટે IMA દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ કરવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.