22 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે નવરાત્રી મહોત્સવની રંગભેર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ નિમિત્તે સૌપ્રથમ માં જગદંબાની ભવ્ય આરતી કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા આ પ્રસંગે વાલી મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ ગેલોત હાજર રહ્યા હતા અને તેમના તરફથી શાળાને એક હજાર રૂપિયા પ્રતિક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા શાળાના સેવક ભાઈ શ્રી નિતેશભાઈ ચૌહાણ દ્વારા ગરબે ગુનાર વિદ્યાર્થીઓને એક એક પેન ભેટ આપવામાં આવી હતી ગરબે ગુમનાર વિદ્યાર્થીઓમાંથી એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબે વાલી મંડળના પ્રમુખશ્રી તથા સાઉન્ડ ના દાતા શ્રી લક્ષ્મણસિંહ ગેલોત તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું