વાત્સલ્યમ્ સમાચાર
સુરેશકુમાર ભરાડા-હિંમતનગર
“માટી કો નમન, વીરો કો વંદન”
સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાનો રાખી મેળો ખુલ્લો મુકાયો
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા અને નગરપાલિકા પ્રમુખશ્રી યતિનબેન મોદીના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તા. 21/08/2023 થી તા.29/08/2023 સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે સ્વ ઉત્પાદિત કરેલ રાખડીઓના વેચાણ અર્થે કુલ 20 સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે.
આ પ્રસંગે અર્ચનાબેન ભટ્ટ, શ્રી જાનકીબેન રાવલ ,શ્રીમતી હંસાબેન પિત્રોડા, શ્રીમતી ચેતનાબેન શાહ, શ્રી શશીકાંતભાઈ સોલંકી ,જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી મીન્નતબેન મનસુરી, નગરપાલિકાના ડે એન્યુએલએમ મેનેજર સ્મિતાબેન પ્રજાપતિ તથા નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.