DAHODGUJARAT

દાહોદ ના રામાનંદ પાકૅ દાહોદ ખાતે સ્નેહ મિલન તથા સન્માન કાયૅક્મ યોજવામાં આવ્યો

તા.૨૯.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahid:દાહોદ ના રામાનંદ પાકૅ દાહોદ ખાતે સ્નેહ મિલન તથા સન્માન કાયૅક્મ યોજવામાં આવ્યો

દાહોદ. રામજી મંદિર ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ ના સફળ નેતૃત્વ મા ચાલુ વષૅ દરમિયાન રામાનંદ પાકૅ ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ નુ સફળતાપૂર્વક અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતુ આ નવરાત્રી મહોત્સવ મા સેવા આપનારા રામજી મંદિર સેવા સમિતિ દાહોદ. રામજી મંદિર મહિલા મંડળ દાહોદ. રામાનંદ પાકૅ સેવા સમિતિ દાહોદ. ઠાકુર સેવા સમિતિ દાહોદ ના સભ્યો તેમજ આ નવરાત્રી મહોત્સવ મા નિસ્વાર્થ સેવા આપનારા સ્વયંસેવકો નો સ્નેહ મિલન તથા સન્માન કાયૅક્મ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ તથા દાહોદ ના ઉત્સાહી મામલતદાર મનોજભાઈ મિશ્રા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ કાયૅક્મ મા ઉપસ્થિત તમામ સ્વયંસેવકો ને શ્રી જગદીશદાસ મહારાજ શ્રીએ રામાનંદ પાકૅ મા યોજવામાં આવતા મહોત્સવ તથા સેવાકાર્ય ને બીરદાવી આશીર્વાદ આસાથે આશિવચન આપેલ. મામલતદાર મનોજભાઈ મિશ્રા એ રામાનંદ પાકૅ ની તમામ સેવા સમિતિના સભ્યો ની સેવાને બીરદાવી ખભે ખભે મિલાવી ને આગામી કાયૅક્મો સફળતા પુવૅક જ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી ઉપસ્થિત સવૅ સભ્યો એ ભોજન પ્રસાદી નો લહાવો લઈ આનંદ માણયો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!