ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦ મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦ મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે


તાહિર મેમણ : આણંદ 21/02/2024 : આગામી તા.૨૩/૦૨/૨૦૨૪ શુક્રવારના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦ મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાનાર છે. આ પદવીદાન સમારોહ બાદ રાજ્યપાલશ્રી બોરસદ તાલુકાની બોચાસણ નિવાસી શાળા અને પેટલાદ તાલુકાની ભારેલ નિવાસી શાળાની પણ મુલાકાત લેનાર છે. રાજ્યપાલશ્રીની આણંદ જિલ્લાની આ મુલાકાત દરમિયાનની આનુસંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને રાજ્યપાલશ્રીના પ્રોટોકોલ મુજબ કામ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, પ્રગ્નેશ જાની સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!