GUJARATKUTCHLAKHPAT

કેન્દ્રિય મંત્રીશ્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ નારાયણ સરોવર તીર્થધામના દર્શન કરીને ધન્યતા અનુભવી

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

લખપત : કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રીશ્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવરની મુલાકાત લઈ ભગવાન ત્રિકમરાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગાદીપતિશ્રી સોનલ લાલજી મહારાજે અયોધ્યાનો પ્રસાદ કેન્દ્રિય મંત્રીશ્રી આપીને મંદિર પરિસરમાં આવકાર આપ્યો હતો. કેન્દ્રિય મંત્રીશ્રીએ ભગવાનના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Back to top button
error: Content is protected !!