CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા નેશનલ હાઈવે- ૪૭ પર દબાણ, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાને લઈ બેઠક યોજાઈ.

તા.02/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આસિસ્ટન્ટ કલેકટર શર્માના માર્ગદર્શન હેઠળ હાઇવેની જમીન પર અતિક્રમણ કરનારાઓમાં જાગૃતિ લાવવા માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ની જમીનો અને અન્ય સરકારી જમીનો પરથી ૦૭ દિવસમાં દબાણ દૂર કરવા લેખિત નોટીસ આપવામાં આવશે.ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને ચોટીલા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે-૪૭ પર ચોટીલા શહેરી વિસ્તારમાં દબાણ, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઈ એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ, તાલુકા પંચાયત અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માએ ઉપસ્થિત તમામ કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા આ બેઠક બાદ આસિસ્ટન્ટ કલેકટરના માર્ગદર્શન મુજબ હાઇવેની જમીન પર અતિક્રમણ કરનાર દુકાનદારો, હોટેલ માલિકો અને ધંધાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત સંયુક્ત ટીમ દ્વારા અતિક્રમણ કરનારાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગની હદનું સીમાંકન દર્શાવી જમીન પર દબાણો દૂર કરવા વિનંતી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ચોટીલા હાઇવે ઉપર આવેલ ચામુંડા ચોકડી અને આનંદપુર ચોકડી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ની જમીનો અને અન્ય સરકારી જમીનો પરથી ૦૭ દિવસમાં દબાણ દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા દબાણ કરનારાઓને ટૂંક જ સમયમાં લેખિત નોટીસ આપવામાં આવશે નિર્ધારિત સમય મર્યાદામાં જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો સંબંધિત વિભાગ દ્વારા કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!