GUJARATNAVSARI

Navsari: વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વન વિભાગ ગુજરાત રાજય દ્રારા ઉમરગામ થી અંબાજી તા.૧૮/૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી રાજયના આદિજાતિ જીલ્લાઓમાંથી પસાર થતી “ વન સેતુ ચેતના યાત્રા” નું આયોજન કરેલ જેની શરૂઆત નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામે ગાંધી મેદન ખાતેથી તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ઉત્તર વન વિભાગ, દ્વારા વન સેતુ ચેતના યાત્રા” કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નવસારી જીલ્લાના માન.સાંસદશ્રી સી.આર.પાટીલ,, વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા,, શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર,, વન અને પર્યાવરણ રા.ક.મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ,, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સ્વાગત, પ્રવચન, વન અને પર્યાવરણના અગ્રસચિવ ડૉ.સંજીવકુમાર તેમજ આભારવિધિ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી યુ.ડી.સીંઘ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, જીલ્લા વહીવટી તંત્ર તેમજ હજારોની જનમેદની ઉપસ્થિત થઇ હતી. આ કાર્યક્રમના ભાગરૂપે વન સેતુ ચેતના યાત્રાની રથનું માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું. આ યાત્રાનો મુખ્ય હેતુ ઉમરગામ થી અંબાજી સુધી આવેલ રાજયની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસી સમાજને વન વિભાગ દ્વારા રાજય સરકારની વિવિધ લક્ષી યોજનાઓ દ્વારા આદિવાસી સમાજની આર્થિક અને સામાજીક પરિસ્થિતીમાં ઉત્થાન કરવાનો આ અનેરો પ્રયાસ છે. રાજયમાં સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને છેલ્લાં બે વર્ષથી વાંસનું મફત વિતરણ કરવામાં આવે છે. રાજયમાં ૨૦૦ જેટલાં વનધન કેન્દ્રો, ૨૧ જેટલા આદિમ જૂથ કેન્દ્રની સ્થાપના થકી ૬૦ હજાર જેટલા લાભાર્થીઓને જોડવામાં આવેલ છે. વન અધિકાર ધારો-૨૦૦૬ પ્રમાણે ૧ લાખથી વધુ લાભાર્થીઓને જંગલ જમીનના કાયમી હક્કની સનદ આપાવામાં આવેલ છે. માળખાકીય સુવિધાઓ માટે ૨૧૦૦ કામો મંજુર કરવામાં આવે છે. તદઉપરાંત પંચવટી કેન્દ્ર,, વન કવચ,,વૃક્ષ ખેતી,એગ્રો ફોરેસ્ટ્રી,, પુનિત વન જેવી અનેક લોકાભિમુખ યોજનાઓથી લાખો લોકો લાભાવિત થઇ રહયા છે. માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા માલકી યોજના, વનલક્ષ્મી યોજના લાભાર્થીઓને કુલ રૂ.૬૮૩૬૬૭૪/- લાખના ચેક અને વન ધન યોજના લાભાર્થીઓને ઓઇલ મેકર મશીન આપી સહાયનું વિતરણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કાર્યક્રમનુ આયોજન શ્રી એસ.મનિશ્વર રાજા, મુખ્ય વન સરક્ષક, વલસાડ અને નીશા રાજ, નાયબ વન સરક્ષક, વલસાડ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ વન વર્તુળના અધિકારીશ્રી અને કર્મચારી દ્રારા સુચારૂ આયોજન કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!