દાહોદ. તા. ૩૦ સપ્ટે. ને દાહોદ તાલુકાના જેકોટ ખાતેની શ્રી મા. અને ઉ. મા. શાળામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. શિક્ષક શ્રી રાજેશભાઈ બામણીયા તથા નિશાંત દવેએ શાળાના વિદ્યાર્થીઓ સાથે રોડ સમારકામ, સાફસફાઈ ની કામગીરી કરી હતી. શાળાના આચાર્ય શ્રી ગોપાલકુમાર શાહએ તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ શુભેચ્છા પાઠવી હતી.
સુરેશ પટેલ લીમખેડા