શહેરા
વાત્સલ્ય સમાચાર
નિલેશ દરજી શહેરા
પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરનારા ઈસમો સામે લાંલ આંખ કરવામા આવી રહી છે. જેના પગલે કેટલાક જગ્યાએ વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામા આવી છે,લોક દરબારનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.શહેરા પોલીસ દ્વારા પણ વ્યાજખોરોથી જાગૃત કરવા અંગેની પહેલ કરવામા આવી રહી છે.જેમા શહેરાના બજારોમાં શહેરા પોલીસ દ્વારા માઈક દ્વારા જો કોઈ લોકો વ્યાજખોરોથી પરેશાન હોય તો તેમની સામે કાર્યવાહી કરવા અંગે જાગૃત કરવામા આવી રહ્યા છે. સાથે સાથે વ્યાજખોર પરેશાન પણ કરતો હોય તો શહેરા પોલીસ મથકે જાણ કરવા પણ અપીલ કરવામા આવી રહી છે. સાથે પોલીસ દ્વારા પોલીસમથકના અધિકારીનો નંબર તેમજ પોલીસ મથકનો નંબર પણ જાહેર કરવામા આવ્યો છે,અને કોઈપણ ડર રાખ્યા વિના વ્યાજખોરોથી પરેશાન હોય તો જણાવામા આવ્યુ છે. . આમ શહેરા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરનારા સામે કડક કાર્યવાહી કરવામા આવે તે પણ જરુરી છે.તેવુ શહેરાનગરની જનતા ઈચ્છી રહી છે .કારણકે વ્યાજખોરોના ત્રાસથી ઘણીવાર વ્યાજલેનારાઓને ઘર છોડીને પણ જતુ રહેવુ પડે છે. અને માનસિક હતાશામાં ગરકાવ થઈ જવુ પડે છે, ઘણીવાર તો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાના પણ બનાવો બનતા હોય છે. શહેરા પોલીસની વ્યાજખોરો સામેથી ઝુંબેશને સૌકોઈએ વખાણી છે.