ARAVALLIBAYADGUJARAT

બાયડ નગરની પંજાબી ફળી અને અયોધ્યાનગર સોસયટીમાં સાફ – સફાઈ તેમજ પાવડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી.

કિરીટ પટેલ બાયડ

બાયડ નગરની પંજાબી ફળી અને અયોધ્યાનગર સોસયટીમાં સાફ – સફાઈ તેમજ પાવડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી.
રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું છે સ્વચ્છતા હી સેવા અભિયાન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે ફરીવાર આગામી 2 મહિના સુધી રાજ્ય વ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જિલ્લામાં પણ સ્વચ્છતાના હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરુપે બાયડ નગરને સ્વચ્છ-સુઘડ બનાવવા આજરોજ બાયડની પંજાબી ફળી અને અયોધ્યાનગર સોસયટીમાં સાફ – સફાઈ તેમજ પાવડર છંટકાવની કામગીરી કરવામા આવી. ઉપરાંત નગરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઈ.

Back to top button
error: Content is protected !!