તા.૫/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૧થી ૦૭ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ૪ ઓગસ્ટના રોજ “મહિલા નેતૃત્વ દિવસ” અંતર્ગત રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનિબેન દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરનાં નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલાઓ માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નારી સંરક્ષણ ગૃહમાં રહેતા બહેનોને SHE ટીમ, પી.બી.એસ.સી., ૧૮૧ અભયમ તથા મહિલાઓને લગતા કાયદાઓ જેવા કે પોકસો એક્ટ-૨૦૧૨, કામના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩, દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, ડોમેસ્ટીક વાયોલન્સ એકટ-૨૦૦૫, ભરણપોષણને લગતી જોગવાઈ, આઈ.પી.સી.ના અન્ય ગુનાઓ વિશે તથા સેલ્ફ ડીફેન્સ વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. સાઇબર ક્રાઇમ અવેરનેસ, વ્યસનમુક્તિ અને ટ્રાફિક અવેરનેસ વિશે પણ બહેનોને સમજ આપવામાં આવી હતી. બહેનોને કેરીયર કાઉન્સેલિંગ અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે નારી સંરક્ષણ ગૃહ ખાતે રહેતા બહેનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આશ્રિત બહેનો માટે આયોજિત મહેંદી સ્પર્ધામાં બહેનોએ હોંશભેર ભાગ લઈ નેતૃત્વ દિવસની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં પી.આઈ.શ્રી ભાર્ગવસિંહ ઝણકાટ તથા નારી સંરક્ષણ ગૃહના મેનેજરશ્રી ગીતાબેન ચાવડા તથા ૧૮૧ અભયમના કાઉન્સેલરશ્રી જીનલબેન તથા ડબલ્યુ.પી.સી. શ્રી સુધાબેન ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.