GODHARAGUJARATPANCHMAHAL

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે ગોધરાની કોલેજમાં આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

ગોધરા

નિલેશકુમાર દરજી શહેરા

વિદ્યાર્થીઓને શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના એનએસએસ વિભાગ દ્વારા આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરાના સહયોગથી આજરોજ તારીખ 23-1-2024 ના રોજ સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સુનિતાબેન ઠક્કર તેમજ ડો. જયદીપ બામણીયા દ્વારા સૌ પ્રથમ વિદ્યાર્થીઓને આયુર્વેદ શું છે, તેની પદ્ધતિ કેવી છે, ઉપરાંત દિનચર્યા કેવી હોવી જોઈએ વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન આપતું વક્તવ્ય યોજાયું હતું. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવ્યા હતા. ડો જયદીપ બામણીયા સાહેબે ખાસ જણાવ્યું હતું કે અહીંના વિદ્યાર્થીઓમાં એનિમિયા નું પ્રમાણ સવિશેષ જોવા મળે છે તેથી આયુર્વેદ જેવી ચિકિત્સા પદ્ધતિ દ્વારા આવા બધા રોગોને આપણે દૂર કરી શકીએ. ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલા કુપોષણને દૂર કરવા માટે પણ આવા કેમ્પો વધુને વધુ થાય તે જરૂરી છે. ડો સુનિતાબેન ઠક્કર દ્વારા મહિલાઓને લગતા રોગો વિશે ખાસ માર્ગદર્શન અપાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો એમ બી પટેલ સાહેબે દીપ પ્રાગટ્ય કરી અને વિદ્યાર્થીઓ માટે તેમજ સ્ટાફ મેમ્બર્સ માટે કેમ્પ ખુલ્લો મુક્યો હતો. તેમણે આયુર્વેદ હોસ્પિટલ પોપટ પુરાના સ્ટાફનો સવિશેષ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટની વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો રૂપેશ એન નાકર દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજન સંબંધી સહકાર રોશન પરમાર, શિવાની ભાટિયા, કશીશ ભોઈ, રુચિતા કોન્ટ્રાક્ટર, પ્રતીક પરમાર ઉપરાંત અન્ય ગ્રૂપ લીડર ભાઈઓ અને બહેનોએ આપ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ચિકિત્સા કેમ્પને ખૂબ જ સફળ બનાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!