JETPURRAJKOT

જેતપુરમાં ૩૪૫, ઉપલેટામાં ૧૩૩, લોધિકામાં ૪૦૯ અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચૂકવાઇ

તા.૧૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૧૮ વર્ષથી ઉપરની વ્યકિતને પ્રતિદિનના રૂ.૧૦૦ અને નીચેની વ્યકિતને રૂ.૬૦ લેખે ચાર દિવસની કેશડોલની તંત્ર દ્વારા ચૂકવણી

બિપરઝોય સંદર્ભે સરકારશ્રીની સૂચના મુજબ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવામાં આવે છે. જે મુજબ પુખ્ત વયના વ્યક્તિ ને પ્રતિ દિન રૂ. ૧૦૦ લેખે તથા બાળકોને રૂ. ૬૦ પ્રતિદિન લેખે ચાર દિવસની રકમ ચૂકવવામાં આવશે.

જેતપુર અને ઉપલેટા મામલતદારના જણાવાયા અનુસાર બંને તાલુકાઓના ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે કેશ ડોલ્સની સહાય ચૂકવવાની કામગીરી માટે ટીમો રવાના કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં નાગવદર ગામે ૧૨ આશ્રિતોને તથા શહેરી વિસ્તારમાં ૧૩૩ વ્યકિતઓને રૂ. ૩૬૪૦૦ જેટલી સહાય ચૂકવવામાં આવી છે. લોધિકા મામલતદારના જણાવાયા અનુસાર ૪૦૯ અસરગ્રસ્તોને રૂ.૧,૧૨,૫૦૦ આવી રહી છે. આ ઉપરાંત પડધરી, રાજકોટ તાલુકામાં પણ કેશ ડોલ્સ ચૂકવાઇ રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!