વિજાપુર તાલુકાની પીલવાઈ કોલેજમાં “રીસન્ટ ટ્રેન્ડસ્ ઇન કેમિકલ સાયન્સીસ્” વિષય ઉપર વિચાર વિમર્શ નો કાર્યક્રમ યોજાયો
વિજાપુર તા
વિજાપુર તાલુકાની પિલવાઇ ગામ ખાતે આવેલ ડો જે ડી તલાટી વિદ્યાસંકુલ શ્રી યુ પી આર્ટસ શ્રીમતી એમ જી પંચાલ સાયન્સ એન્ડ શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજના રસાયણ વિભાગ દ્વારા “રિસેન્ટ ટ્રેન્ડ્સ્ ઇન કેમિકલ સાયન્સીસ્” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય વિચાર વિમર્શ નો કાર્યક્રમ કોલેજના ટ્રસ્ટી મંડળ ની ઉપસ્થિતિ માં તેમજ પેસિફિક યુનિવર્સિટી રાજસ્થાન થી આવેલા પ્રાધ્યાપકો તેમજ એસપી યુનિવર્સિટી માંથી આવેલ પ્રાધ્યાપકો તેમજ ખૂણેખૂણે થી આવેલા પાર્ટીસીપન્ટ્સ વચ્ચે વિચાર વિમર્શ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેમિકલ સાયન્સ અંગે પોતાના વિચારો તેમજ ઉપયોગીતા લાભો ગેરલાભો વિશે ચર્ચાલાપ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રસાયણ વિભાગના અધ્યક્ષ ડો આર.એસ દવે એ આ સભા યોજવા પાછળ નો મુખ્ય ઉદ્દેશ્ય સમજાવ્યો હતો અને મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો. કોલેજના આચાર્ય ડો સંજય શાહે સંસ્થાનો પરિચય આપ્યો હતો રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા પાર્ટિસિપન્ટ્સને આવકાર્યા હતા અને આ પરિસંવાદ અધ્યાપકો, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સંશોધનના આદાન-પ્રદાનનું સુયોગ્ય પ્લેટફોર્મ બની રહેશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમારોહ માં રાજસ્થાનના પ્રો. ડો એસ સી અમેટા મંડળના મંત્રી પ્રવીણભાઈ વ્યાસ તથા મુકેશસિંહ વિહોલ તેમજ જુદીજુદી યુનિવર્સિટીના પ્રાધ્યાપકો ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમ નો સફળ સંચાલન ડો જી જી બારાત તથા ડો ચિરાગ આચાર્ય એ કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહની આભારવિધિ ઉપાચાર્ય ડો જી આર જાનીએ કરી હતી
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.