PANCHMAHAL

હાલોલ-પાવાગઢ તળેટી વિસ્તારમાં આવેલા કાચા દબાણો દૂર કરવાની મૌખિક નોટીસ આપતા નાના વેપારીઓમાં રોષ

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૧૪.૭.૨૦૨૩

પંચમહાલ જીલ્લાના યાત્રાધામ પાવાગઢ ના સ્થાનિક લોકોમાં પડતા પર પાટુ જેવો માહોલ, ગયા સપ્તાહ થી ખાનગી જીપો શનિ રવિવાર તેમજ રજાના દિવસોમાં પાવાગઢ તળેટી થી માંચી સુધી યાત્રિકોની હેરા ફેરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છું.જયારે આજે હાલોલ મામલતદાર, માર્ગ મકાન વિભાગ તેમજ પોલીસ ટીમ સાથે પાવાગઢ બસ સ્ટેન્ડ થી લઇ માંચી સુધી રોડ ની બંને બાજુ માં લારી કેબીન માં વેપાર કરતા લોકોને સ્વૈચ્છિક રીતે સોમવાર સુધીમાં ખાલી કરવાનું મૌખિક રીતે ફરમાન કરતા છેલ્લા 50 વર્ષ ઉપરાંત થી રોજ કમાઈ રોજ ખાનાર લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને તેઓની હૈયા વરાળ ઠાલવી જણાવતા હવે અમાંરે જવું ક્યાં ? પરીવાર નું ભારણ પોષણ કેવી રીતે કરવું તે એક મોટો પ્રશ્ન છે. પંચમહાલ જીલ્લા ના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે શુક્રવારના રોજ હાલોલ મામલતદાર સહીત તેમની ટીમ, માર્ગ મકાન વિભાગ તેમજ પોલીસ ટીમ સાથે રાખી પાવાગઢ બસ સ્ટેન્ડ થી લઇ માંચી સુધી રોડ ની બંને બાજુ માં લારી કેબીન માં વેપાર કરતા લોકોને સ્વૈચ્છિક રીતે સોમવાર સુધીમાં ખાલી કરવાનું મૌખિક રીતે જણાવવા માં આવતા આ જગ્યા ઉપર વર્ષો થી ધંધો કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.તે લોકોના જણાવ્યા મુજબ અમે છેલ્લા 50 વર્ષ ઉપરાંત થી અહીં ધંધો કરી ગુજરાન ચલાવી એ છીએ.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઐતિહાસિક પાવાગઢ મંદિર ઉપર ધ્વજા રોહન કર્યા બાદ પાવાગઢ ખાતે યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે.પરંતુ સ્થાનિક લોકોનો કોઈ વિકાસ થયો નથી.ગયા સપ્તાહથી જીલ્લા કલેક્ટરના જાહેરનામાથી બે મહિના સુધી શનિ-રવિવાર, પૂનમ તેમજ જાહેર રજાઓ ના દિવસે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઇ જવાનો પ્રતિબંધ મુકવામાં આવતા સ્થાનિક લોકો જીપો ચલાવી તેમના પરીવારનું ભરણ પોષણ કરતા હતા.તે પણ બંધ કરી દેવામાં આવ્યું જયારે આજે વહીવટી તંત્ર દ્વારા લારી કેબિનમાં માલ સમાન મૂકી ધંધો કરતા લોકોને પણ રોડ ખુલ્લા કરવાના બહાને સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે ખાલી કરી દેવાનું જણાવતા તે વેપારીઓ ના માથે આભ તૂટી પડયું હોય તેમ લાગી રહ્યું હતું. અને તમામ લોકોએ એક તબક્કે પોતાના ધંધા વેપાર બંધ કરી રોડ ઉપર ઉતરી પડયા હતા.સ્થાનિક સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવનાર શનિ અને રવિવાર બે દિવસ અમે બધા ધંધા રોજગાર બંધ રાખીશું.આવનાર યાંત્રિક ને ચા, પાણી,પાર્કિંગ વિગેરે ની સુવિધાઓ નહિ મળે જેથી આવનાર યાત્રિકો ભારે તકલીફ માં મુકાશે.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!