BANASKANTHAGUJARATPALANPUR
સામાજિક એકતા જાગૃતિ મિશનની કારોબારી સભામાં દિલીપ ગોહિલની કાર્યકારી મીડિયા સચિવ, ગુજરાત પ્રદેશમાં નિમણૂક કરાઈ
25 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના કાણોદર નું ગૌરવ.પાલનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ સામાજિક એકતા જાગૃતિ મિશનની જનરલ મિટિંગમાં રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમા સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડે દિલીપભાઈ ગોહિલને ફૂલહાર પહેરાવી સન્માન કરી કાર્યકારી મીડિયા સચિવ, ગુજરાત પ્રદેશમાં નિમણૂક પત્ર આપી શપથ ગ્રહણ કરાવ્યા હતા. સામાજિક એકતા જાગૃતિ મિશનની આ કારોબારી મિટિંગમાં ગુજરાત પ્રદેશમાં મીડિયા સચિવ તરીકે નિમણૂક કરવા બદલ દિલીપભાઈ ગોહિલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અને સમિતિ તરફથી જે જવાબદારીઓ આપવામાં આવી છે તેની સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક સંભાળી કેવલસિંહ રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ વફાદારીથી કામ કરવાની ખાતરી આપી હતી.