GUJARATNAVSARIVANSADA

Vansda:ચણા ખાતર ઓર્ગેનિક દવા નું 150 લાભાર્થીને વિતરણ કરવામાં  આવ્યું .

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ, વાંસદા

ચણા ખાતર ઓર્ગેનિક દવા નું 150 લાભાર્થીને વિતરણ કરવામાં  આવ્યું .

જિલ્લા પંચાયત નવસારી ખેતીવાડી શાખા દ્વારા આયોજિત ખેડૂતોને ચણા દવા ઓર્ગેનિક ખાતર નું વિતરણ 7 ગામો નું ક્લસ્ટર મુખ્ય અંકલાસ ગામમાં મુખ્ય મહેમાન તરીકે વાંસદા તાલુકા પંચાયત મા. શાસક પક્ષના નેતા બીપીન માહલા ના અધ્યક્ષ સ્થાને વિતરણ કરવામાં આવ્યું હતું અતિથિ મહેમાન તરીકે ખેરગામ તાલુકાના પ્રભારી શ્રી મણીલાલભાઈ ગાવિત પધાર્યા હતા બીપીન માહલા એ કહ્યું કે આજે ગુજરાત ના ગવર્નર શ્રી એ પણ ઓર્ગેનિક ખેતી ઉપર ખૂબ ભાર મૂક્યો છે આજે તે જે બજારમાંથી બિયારણો લાવવો છે તે શાકભાજી એમાં ખાતરનો ઉપયોગ અને દવા નો ઉપયોગ ઘણો બધો થયેલો છે અને એને માર્કેટમાં વેચવાથી ભાવ પણ આવે છે પરંતુ તમે ઓર્ગેનિક શાકભાજી કે કઠોળ કે ડાંગર અન્ય વસ્તુમાં ખાતર દવા ઓર્ગેનિક દવા નો ઉપયોગ કરશો તો એના કરતા ડબલ પૈસા મળશે અને રોગોનું પ્રમાણ પણ ઓછું થશે આજે તમે દવા નો ઉપયોગ કરવાથી કેમિકલ નો ઉપયોગ થયેલો હોવાથી ઘણા બધા રોગો પણ થાય છે આજે 30 થી 35 વર્ષના લોકોના પણ વાળ પાકી જાય શરીર વધી જાય અને કેન્સરના રોગો પણ થાય છે જે તે જેમ બને તેમ કુદરતી ખેતી કરવી જોઈએ અને આપણે ઘરે પણ કુદરતી ખેતીનો ઉપયોગ કરીને કુદરતી દવા ખાતર

વાપરીને આપણું જીવન પણ સારું રહે એનો ઉપયોગ દરેકે કરવા જોઈએ મણીભાઈ સાહેબે કહ્યું કે આજે ઓર્ગેનિક ખેતી કરવાથી ઉંમરમાં પણ ઘણો ફરક પડે છે આજે શાકભાજીમાં ઘરે ખાવા માટે મોટા મોટા લોકો પણ કિચન ગાર્ડન બનાવીને ઘર માટે ઉપયોગ કરે છે આપણે પણ તાજી શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે આપણે પણ આપણા આંગણામાં ઘર વપરાશ માટે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. ચણા વિતરણ માં ગામના સરપંચ રૂપેશભાઈ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ આગેવાનોને લાભાર્થીઓએ વિતરણ માં ભાગ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!