વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગરના કોઠંબા ખાતે ઈદના પ્રસંગે કેનાલમાં ડૂબતા મુસ્લિમ સમાજના ત્રણ યુવકોનું મોત
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદાની મુસ્લિમ સમાજને દર્દભરી અપીલ
મહિસાગરના કોઠંબા ખાતે ઈદના પ્રસંગે મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો કે જેમાં બે સગા ભાઈઓનો સમાવેશ થાય છે તેવા ફરહાદ પટેલ અને નિહાલ પટેલ તેમજ અન્ય મો. બુરહાન નગીના ના કેનાલમાં ડૂબી મૃત્યુ થતાં સમગ્ર મુસ્લિમ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટનાને પગલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને મોહંમદ જાવેદ પીરઝાદા એ ઈદના ખુશીના પ્રસંગે મુસ્લિમ પરિવારો પર આફત આવતા ખુશીનો તહેવાર માતમમાં ફેરવાતા મૃતક યુવકોના પરિવારજનોને સાંત્વના સાથે દુઃખની લાગણી વ્યકત કરી છે. અલ્લાહ ત્રણેય મર્હુમ યુવકોની મગફિરત ફરમાવી જન્નત અતા કરે અને તેમના પરિવારજનોને સબ્રે જમીલ અતા કરે.
ત્રણે આગેવાનો એ મુસ્લિમ સમાજને વિનંતી કરતા કહ્યુ છે કે કોઈ પણ પ્રસંગે સાવચેતી રાખી બાળકો ને એકલાં ફરવા ના મોકલે મુસ્લિમ સમાજના વડીલો અને માતા-પિતા બાળકો પ્રત્યે સાવચેતી રાખી વિવિધ સ્થળે હરવા ફરવા જતા પોતાના બાળકોને જવાબદાર સમજુ વ્યક્તિ સાથે જ મોકલે જેથી કરીને પરિવારે પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવવા ન પડે.