GUJARATLUNAWADAMAHISAGAR

મહિસાગરના કોઠંબા ખાતે ઈદના પ્રસંગે કેનાલમાં ડૂબતા મુસ્લિમ સમાજના ત્રણ યુવકોનું મોત થતાં મુસ્લિમ સમાજને ખાસ અપીલ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગરના કોઠંબા ખાતે ઈદના પ્રસંગે કેનાલમાં ડૂબતા મુસ્લિમ સમાજના ત્રણ યુવકોનું મોત

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદાની મુસ્લિમ સમાજને દર્દભરી અપીલ

મહિસાગરના કોઠંબા ખાતે ઈદના પ્રસંગે મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો કે જેમાં બે સગા ભાઈઓનો સમાવેશ થાય છે તેવા ફરહાદ પટેલ અને નિહાલ પટેલ તેમજ અન્ય મો. બુરહાન નગીના ના કેનાલમાં ડૂબી મૃત્યુ થતાં સમગ્ર મુસ્લિમ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ ઘટનાને પગલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને મોહંમદ જાવેદ પીરઝાદા એ ઈદના ખુશીના પ્રસંગે મુસ્લિમ પરિવારો પર આફત આવતા ખુશીનો તહેવાર માતમમાં ફેરવાતા મૃતક યુવકોના પરિવારજનોને સાંત્વના સાથે દુઃખની લાગણી વ્યકત કરી છે. અલ્લાહ ત્રણેય મર્હુમ યુવકોની મગફિરત ફરમાવી જન્નત અતા કરે અને તેમના પરિવારજનોને સબ્રે જમીલ અતા કરે.

ત્રણે આગેવાનો એ મુસ્લિમ સમાજને વિનંતી કરતા કહ્યુ છે કે કોઈ પણ પ્રસંગે સાવચેતી રાખી બાળકો ને એકલાં ફરવા ના મોકલે મુસ્લિમ સમાજના વડીલો અને માતા-પિતા બાળકો પ્રત્યે સાવચેતી રાખી વિવિધ સ્થળે હરવા ફરવા જતા પોતાના બાળકોને જવાબદાર સમજુ વ્યક્તિ સાથે જ મોકલે જેથી કરીને પરિવારે પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવવા ન પડે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!