DANGGUJARATWAGHAI

Dang: વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે શુભમ નેત્રસેવા ટ્રષ્ટ સીતાપુર દ્વારા નિઃશુલ્ક નેત્ર તપાસ શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શુભમ નેત્રસેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામા આવેલ કાલીબેલ સ્વરાજ આશ્રમશાળા ખાતે આજરોજ નેત્ર શિબિર યોજાઇ હતી આ નેત્ર શિબિર સ્વ. શ્રી લલ્લુભાઈ ભગવાનભાઇ પટેલ, ગામ-મલિયાધારા ના પૂણ્ય સ્મરણાર્થે શ્રીમતિ જમનાબેન લલ્લુભાઈ પટેલ અને સમસ્ત પરિવાર તરફથી જનસેવા અર્થે યોજવામાં આવી હતી. આ નિશુલ્ક શિબિરમા  આશ્રમશાળાના સંચાલક રમેશભાઈ, ડો.સુશીલકુમાર ચૌધરી તથા ટ્રસ્ટના ટ્રસ્ટી અને એડમિનિસ્ટ્રેટર અક્ષાણીકુમાર ચરીવાલા અને ટ્રસ્ટી શ્રીમતિ જમનાબેન પટેલ સહિત સરપંચ મહેશભાઈ રાઉત ઉપસ્થિત રહ્યા હતા. આ નિશુલ્ક આંખ તપાસ શિબિરનું 389 જેટલા દર્દીઓ લાભ લીધો હતો. જેમાં 229 જેટલા આશ્રમશાળામાં રહેતા વિદ્યાર્થીઓની પણ તપાસ કરી હતી. આ શિબિરમાં  38 જેટલા મોતીયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ 92 જેટલા દર્દીઓને નિશુલ્ક ચશ્મા અને 15 દર્દીઓને નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!