૮ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
રાજકોટ જિલ્લા ના જેતપુર તાલુકાના તાલુકા કક્ષા ની આંગણવાડી વિભાગ આઇ. સી. ડી. એસ. કચેરી હાલ જુની તાલુકા પંચાયત કચેરીમાં હોય તે બિલ્ડીંગ સાવ જર્જરીત હાલતમાં છે કર્મચારી અને અધિકારી હાલ પોતાના જીવ ના જોખમે કામ કરી રહ્યા છે.
આ જુની તાલુકા પંચાયત કચેરી ની બિલ્ડીંગ બે માળ ની હોય તેમા ઉપર આઇ. સી. ડી. એસ. કચેરી ઉપર ના માળ અતિશય જર્જરીત હાલતમાં છે નીચે બાળકો માટે આધાર કાર્ડ બાળકો માટે ની કીટ ત્યાં કાર્યરત હોય રોજ ઘણા બધા અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે અને આ બિલ્ડિંગ અતિશય જર્જરીત હાલતમાં છે.
બીપોરજોય વાવાઝોડા વખતે આ આઇ. સી. ડી. એસ. કચેરી ફક્ત બે દિવસ માટે નવી તાલુકા પંચાયત મા કાર્યરત કરવામાં આવી હતી ફરી આ જર્જરીત બિલ્ડીંગ મા કાર્યરત કરવામાં આવી કોઈ દુર્ઘટના સર્જાઈ તો કોણ જવાબદાર? આ વિસ્તાર ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ ભાઈ રાદડીયા કદાચ નહીં જાણતા હોય બાકી આવું ચલાવે નહીં.
આ જર્જરિત બિલ્ડીંગ હાલ તાલુકા કક્ષાની આઇ. સી. ડી. એસ કચેરી કાર્યરત છે તે કચેરી ની આશરે ત્રણ મહિના પહેલા રાજકોટ જોન ના વિભાગીય નાયબ નિયામક એ પણ મુલાકાત લીધી હતી પણ કદાચ આ જર્જરિત બિલ્ડીંગ મા દિવાલો સ્લેબ, બારી બારણા નજર નહીં આવ્યાં હોય.?
રાજકોટ જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર તાત્કાલિક આ કચેરી રૂબરૂ મુલાકાત લઈ ને યોગ્ય કરશે?