MEHSANAVIJAPUR

મહેસાણા જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષસ્થાને જીલ્લાકક્ષાનો સ્વાગત –ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો .

મહેસાણા જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષસ્થાને જીલ્લાકક્ષાનો સ્વાગત –ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો .

અરજદારોની અરજીઓના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ રાજ્ય સરકારના આ ઉમદા અભિગમ પૈકી આજરોજ જીલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજનની અધ્યક્ષસ્થાને જીલ્લાકક્ષાનો સ્વાગત –ફરિયાદ નિવારણ કાર્યક્રમ મહેસાણા કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કુલ 20 અરજદારોની જમીન સર્વે, ગેરકાયદેસર દબાણના પ્રશ્નો , બાંધકામ મુદત વધારો, કપાત જમીનના, વળતર વેરા બાબત, ઓનલાઇન જમીન રેકોર્ડ, અસામાજિક દુષણ વગેરે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશે પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, અરજદારોની રજૂઆતો સાંભળીને સંબંધિત કચેરીના અધિકારીઓને આ અંગે વધુ વિગતો મેળવીને તત્કાલ પ્રશ્ન નિવારણ માટે જરૂરી સૂચનો કરી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અરજદારોને હકારાત્મક સંતોષ પૂર્વકના જવાબ મળતા અરજદારોમાં તેનો હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં અરજદારશ્રી કિંજલબેન પટેલના પિતાને મકાન પ્લોટમાં હુકમ સુધારો આપવામાં આવ્યો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો સાથે સંબંધિત વિભાગના જિલ્લા અને તાલુકા ના સર્વ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!