DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા સબ જેલમાં લાંબી બિમારી બાદ કેદીનું સારવાર દરમિયાન મોત

તા.26/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની સબ જેલમાં 302 ના કાચા કામના મડર કેસના આરોપી મહાદેવભાઇ સુખાભાઈ કોળી રહે રેલવે સ્ટેશન ધાંગધ્રા વાળા આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ધાંગધ્રા ની સબ જેલમાં 302 ના મર્ડર કેસના આરોપમાં કાચા કામમાં કેદી તરીકે સજા ભોગી રહ્યા હતા ત્યારે લાંબા સમયથી બીમાર હતાં અને જેલ પ્રશાસન દ્વારા તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યા હતા.આજે સવારે અચાનક તબિયત લથડતા સીટી પોલીસ દ્વારા ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે પોલીસ દ્વારા પરિવાર જનોને જાણ કરાતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી એમ માટે પેનલ ડોક્ટર ની ટીમ ના હોવાના કારણે સીટી પોલીસ દ્વારા ડેડ બોડીને પી એમ અને એફેસેલ રિપોર્ટ માટે માટે ડેડ બોડી ને રાજકોટ ની સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી હતી ત્યારે આ બનાવની વધુ તપાસ ધાંગધ્રા સીટી પોલીસ પી,આઇ,જે,એસ ઝાંબરે ચલાવી રહ્યા છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!