નવસારી શહેરમાં ધોળા દિવસે યુવકની હત્યા કરી ફરાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધો.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં ધોળા દિવસે અંદાજે ચારેક વાગ્યાના અરસામાં ભર બજારમાં તીક્ષ્ણ હથીયાર ઝીંકી હત્યાનું બનાવ બન્યું હતું
મૂળ ઉત્તર પ્રદેશના બે પરિવાર વચ્ચે લગ્ન પહેલાના પ્રેમ સબંધને લઈ અદાવત થઈ હતી. વિજલપોર વિસ્તારના ક્રિષ્ના નગર ખાતે રહેતા ધર્મેન્દ્ર સોનકરને આ વિસ્તારમાં જ રહેતા દિનેશ સોનકરની બહેન જોડે પ્રેમ સબંધ બંધાયો હતો. જે સબંધ ને લઈ અગાઉ ઝઘડા પણ થયા હતા. ત્યારબાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો જોકે દિનેશની બહેનના લગ્ન ઉત્તરપ્રદેશ ખાતે કરી દેવાયા હતા.
જ્યારે ધર્મેન્દ્રના પણ લગ્ન થઈ ગયા હતા ધર્મેશ બે બાળકોનો પિતા બન્યો હતો. હાલ માંજ દિનેશની બહેન નવસારી આવતા ફરી ભૂત ધુણવા લાગ્યું હતું. દિનેશ ગુસ્સાની આગમાં બળી રહ્યો હતો. તે દરમિયાન બપોરના સમયે વિજલપોર વિસ્તારમાં આવેલ એક લોન્ડ્રી નજીક ધર્મેન્દ્ર સોનકર ઉભો હતો. ત્યારે દિનેશ સોનકર
અચાનક ત્યાં ધસી ગયો હતો. ધર્મેન્દ્ર કઈક સમજે તે પહેલા દિનેશ ત્રણ થી ચાર જેટલા તીક્ષ્ણ ચપ્પાના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ અચાનક થયેલા હુમલા ના કારણે ધર્મેન્દ્ર લોહી લુહાણ હાલત માં રસ્તા ઉપર ફસડાઈ પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં હાજર ડોક્ટર તેને મૃત જાહેર કર્યો હતો ધમેન્દ્રની આકસ્મિક હત્યાના કારણે પરિવારજનોમાં દુઃખોનું પહાડ તૂટી જવા પામ્યું હતું હત્યાને લઈ ધમેન્દ્રના ભાઈએ દિનેશ સોનકર વિરૂદ્ધ વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસની ટીમે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ગણતરીના સમયમાં ઘાતકી હત્યાના આરોપી દિનેશ સોનકરને ઝડપી પાડ્યો હતો. હાલ વિજલપોર પોલીસ આ મામલામાં આરોપીને કોર્ટ માં રજૂ કરવાની તૈયારી સાથે વધુની તપાસ હાથ ધરી છે.