MORBi:મોરબીમાં પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસ યોજાશે:આવતીકાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે
MORBi:મોરબીમાં પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસ યોજાશે:આવતીકાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે
આવતીકાલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ ની ઉજવણીની ઠેર ઠેર ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતીની દ્વી દિવસીય ઉજવણી કરવામાં આવી છે જેમાં પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ પરશુરામ ધામ મોરબી ખાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આવતીકાલે મોરબીના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવશે.
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ધામ ખાતે પરશુરામ જયંતિ ની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જોડાયા હતા અને દાંડિયા રાસ બાદ પ્રસાદ નો લહાવો લીધો હતો ત્યારે આવતીકાલે તા.૧૦ ના રોજ પરશુરામ જયંતિ હોવાથી મોરબીના મુખ્ય માર્ગો પર ભગવાનશ્રી પરશુરામ જી ની ભવ્ય શોભા યાત્રા યોજાશે જે મોરબીના વાઘપરા ૧૪ ગાયત્રી મંદિર થી શરુ થઈ નવલખી ફાટક પરશુરામ ધામ સુધી જશે.આ સમગ્ર આયોજનમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી,ચિંતનભાઈ ભટ્ટ,નીરજભાઈ ભટ્ટ,જયદીપભાઈ મહેતા,નયનભાઈ પંડ્યા,ઋષિભાઇ મહેતા,રોહિતભાઈ પંડ્યા, અમૂલ ભાઈ જોષી ,સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર