તારીખ ૧૮/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલ સેટકો સંચાલિત આંગણવાડી નંદઘર નું લોકાર્પણ તારીખ ૧૭/૧/૨૦૦૯ ના રોજ હાલ ના પ્રધાનમંત્રી તથા તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું જેને ૧૫ વર્ષ પૂરાં થયેલ છે. કાલોલ નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીની ખૂબજ મહત્વની યાદગીરી છે.”નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ”દ્વારા આ ખાસ દિવસે સેવા કાર્ય કરવામાં આવે છે.”નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ”દ્વારા નંદઘર આંગણવાડીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજના દિવસે આંગણવાડીની બહેનોને શુભેચ્છાઓ પાઠવી લોકાર્પણ સમયનાં આંગણવાડી વર્કરનું સન્માન કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.