BANASKANTHAGUJARATPALANPURUncategorized
પેપોળ સરકારી શાળામાં શાળાના બાળકો ને દાતા તરફથી ગણવેશ વિતરણ કરવામાં આવેલ
25 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાના પેપોળ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા માં તા.24 જુલાઈ 23 ના રોજ ગામના દાતા શ્રી નિલેશભાઈ ચૌધરી તરફથી તેમના પિતાશ્રી અભેરાજભાઈ ચૌધરી ના વરદહસ્તે શાળા ના બાળકો ને યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ હતો.આ પ્રસંગે ઉપસ્થિત દાતાશ્રીના પિતાશ્રી અભેરાજભાઈ ચૌધરી નું સરકારી માધ્યમિક શાળા પરિવાર વતી શાળા ના આચાર્ય શ્રી એમ.એમ.સોની દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામના અગ્રણી અને એસ.એમ.ડી ના સભ્ય શ્રી હેમરાજભાઈ ચૌધરી આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.અગાઉ પણ આ જ દાતાશ્રી તરફ થી શાળા ને પ્રિન્ટર તથા વિદ્યાર્થીઓને નોટબુક/ચોપડા ભેટ (દાન) સ્વરૂપે આપવામાં આવેલ છે.શાળા પરિવારે દાતાશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો.