ARAVALLIMEGHRAJUncategorized

અરવલ્લી : મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તરમાં આંગણવાડીના તેડાગર બાળકો ને લેવા આવતા નથી તો બીજી બાજુ આંગણવાડી સમય સર ખુલતી નથી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તરમાં આંગણવાડીના તેડાગર બાળકો ને લેવા આવતા નથી તો બીજી બાજુ આંગણવાડી સમય સર ખુલતી નથી

કહેવાય છે ને કે બાળકનું ભવિષ્ય એ આંગણવાડી થી ચાલુ થાય છે અને નાનપણ માં બાળકના ઘડતર માટે બાળક ને નજીક ની આંગણવાડી માં મુકવામાં આવે છે અને આંગણવાડી માં ખાસ કરીને કાર્યકર તેમજ તેડાગર ની ભરતી થી બાળક પર સીધું જ્ઞાન અને દેખરેખ રાખવા માટે સરકાર દ્વારા ભરતીઓ કરવામાં આવે છે અને પગાર પણ આપવામાં આવે છે

અહીં વાત છે મેઘરજ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓ ની જ્યાં ગ્રામ્ય વિસ્તરમાં હાલ આંગણવાડી ઓ સમય સર ખુલતી નથી ખાસ કરીને આંગણવાડી નો સમય 10 થી 2 બાળકો માટે હોય છે અને 10 થી 3 કાર્યકર નો હોય છે પરંતુ અહીં ખાસ નાના બાળકો ની દેખરેખ માટે તેડાગર ની નિમણુંક કરવામાં આવે છે જ્યાં બાળકો ની દેખરેખ થી લઇ ને આંગણવાડી માં આવતા બાળકોને ને ઘરે થી લઇ જઈ ઘરે મૂકી જવાની જવાબદારી હોય છે પરંતુ હાલ ગ્રામ્ય વિસ્તારની કેટલીક આંગણવાડીઓ એવી છે જ્યાં કોઈ તેડાગર બાળકો ને ઘરે લેવા માટે કે મુકવા માટે પણ જતા નથી તો બીજી બાજુ આંગણવાડી નો સમય સવારે 10 વાગ્યાં નો હોય છે છતાં મેઘરજ તાલુકાની ગ્રામ્ય વિસ્તાર ની આંગણવાડી ઓ સમય સર ખુલતી જ નથી ત્યારે પાયા ના શિક્ષણમાં જ મોટી બેદરકારી કહી શકાય ત્યારે આ બાબતે જો ઓચિંતી તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવી શકે તેમ છે જેમાં સમય સર આંગણવાડીઓ ખુલે અને તેડાગર પોતાની ફરજ અદા કરી બાળકો ને આંગણવાડી માં લઇ જાય તેવી માંગ સેવાઈ રહી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!