GUJARATRAJKOTUPLETA

જામકંડોરણા ખોડીયાર ચોક ખાતે દુંદાળા દેવ ગણપતિ બાપ્પા ની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી.

૨૦ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર.
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા સહિત ગુજરાતભરના પંડાલોમાં ગણેશ મહોત્સવનું આયોજન ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે ત્યારે જામકંડોરણા ના ખોડીયાર ચોક માં ખોડીયાર ચોક ના રાજા ગણેશોત્સવનું આયોજન ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહ્યું છે ગણેશ ચતુર્થી ના પાવન પર્વ નિમિત્તે ખોડીયાર ચોક ના યુવાનો દ્વારા ગણપતિ મહારાજની મૂર્તિને વાજતે ગાજતે લાવીને રાસ ની રમઝટ સાથે પુરી શ્રધ્ધા થી પુજન વિધિ કરી સ્થાપના કરવામાં આવી નાની નાની બાળાઓ દ્વારા સામૈયા લઈને ગણપતિ બાપા નું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું જામકંડોરણા ની ઉત્સવ પ્રિય જનતા ગણેશ ચતુર્થી ની મહા આરતી નો તેમજ ડીજેના તાલે રાસ રમઝટ પર બોલાવી હતી ગણેશ મહોત્સવ નું દસ દિવસનું આયોજન કરતા પ્રવિણભાઈ દોંગા વિરેનભાઈ અજાબીયા પીન્ટુભાઇ પરમાર જય ભાઈ ધનાણીયા વગેરે ગ્રુપના મિત્રો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ જામકંડોરણા ની ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે રોજ રાત્રે મહા આરતી તેમજ રાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો દરેક લોકોએ લહાવો લેવા પધારવું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!