JETPURRAJKOT

સ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ અંગે માહિતી આપતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ

તા.૧૯ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ભરાડ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો.

શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતું અટકાવવા તેમજ સુચારુ ટ્રાફિક વ્યવસ્થાપન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વાહનચાલકોમાં જાગૃતિના અભાવે તેમજ નિયમોની અવગણનાને લીધે થતા અકસ્માતો અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્ર્મ યોજવામાં આવી રહ્યા છે.

શહેર પોલીસના સંકલનમાં રહીને પી.આઈ.શ્રી ભાર્ગવસિંહ ઝણકાટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને હેલ્મેટના ઉપયોગ થકી અકસ્માતમાં થતા અસરકારક બચાવ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ તેમણે કહ્યું હતું કે ૧૮ વર્ષથી નાના વિદ્યાર્થીઓએ વાહન ન ચલાવવું જોઈએ. ટુ-વ્હીલર વાહનો પર બેથી વધુ વ્યક્તિઓએ ક્યારેય મુસાફરી કરવી નહીં, તેમજ કારમાં બ્લેક ફિલ્મ વાળા કાચનો ઉપયોગ ન કરવો, ઓવરસ્પીડમાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ન કરવું. વધુમાં શ્રી ઝણકાટે જણાવ્યું હતું કે ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલનો ઉપયોગ જીવલેણ સાબિત થાય છે. ઉપરાંત, વાહન ચલાવતી વખતે સાથે રાખવાના વિવિધ ડોક્યુમેન્ટ તેમજ ટ્રાફિક સિગ્નલ અંગે જાણકારી આપી હતી.

આ અવેરનેસ પ્રોગ્રામમાં એ.સી.પી. ટ્રાફિક શ્રી ગઢવી સાહેબ, પી.એસ.આઇ. શ્રી કેયાબેન ચોટલીયા ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!