તિલકવાડા APMC હોલ ખાતે જિલ્લા પ્રભારી સંદીપસિંહ માંગરોલાની અધ્યક્ષતામાં કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ
રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે તિલકવાડા APMC હોલ ખાતે નર્મદા જિલ્લા પ્રભારી સંદીપસિંહ માંગરોલાની અધ્યક્ષતામા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ આ બેઠકમાં આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા અને વધુમાં વધુ કાર્યકર્તાઓને પાર્ટીમાં સદસ્ય બનાવી સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપરાંત દરેક વિસ્તારની મુલાકાત લઈ પ્રજાની નાની મોટી સમસ્યાઓ દૂર કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો સાથે જ આગામી તારીખ 7 ના રોજ ભારત જોડો યાત્રાને એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર જિલ્લા મથકે યોજાના કાર્યક્રમમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ સહભાગી બનવા જિલ્લા પ્રભારીએ આહવાન કર્યું હતું
આ બેઠક દરમિયાન જિલ્લા પ્રભારી સંદીપસિંહ માંગરોલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આજ રોજ તિલકવાડા APMC હોલ ખાતે કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવી આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમા જીત મેળવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી સાથે જ ભારત જોડો યાત્રા નો બીજો તબક્કો શરૂ થવાની શક્યતા છે તેના આયોજન માટે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને પાર્ટીમા સદસ્ય બનાવવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી સાથે જ આગામી સમયમાં જિલ્લા પંચાયતમા વાઇજ પબ્લિક મીટીંગ નું આયોજન કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માં આવશે જેના માટે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતી સાથે જીત મેળવશે તવો દ્રડ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો