ANANDANAND CITY / TALUKOANKLAVGUJARAT

આણંદ અંધ અપંગજન વિકાસ મંડળ કરી રહ્યું છે, દિવ્યાંગ બાળકોનું જીવન ઘડતર

આણંદ અંધ અપંગજન વિકાસ મંડળ કરી રહ્યું છે, દિવ્યાંગ બાળકોનું જીવન ઘડતર

 

 

તાહિર મેમણ – 04/01/2204- આણંદ : આજના આધુનિક સમયમાં પળે પળે બલદાતા વિશ્વમાં પ્રગતિ, વિકાસ અને સમાનતાની નજરે જોતા ૪, જાન્યુઆરીનો દિવસ ખૂબ અગત્યનો છે. આ દિવસે ૧૮૦૯ ના વર્ષમાં એક મહાન વ્યક્તિ લુઇ બ્રેઇલ નો જન્મ થયો હતો, તેમણે કરેલી મહાન શોધ એટલે કે બ્રેઈલ લિપિ ને કારણે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચન અને લેખન કાર્ય કરવું શક્ય બન્યું છે.

 

સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ લોકો માટે આશિર્વાદરૂપ બનેલી બ્રેઇલ લિપિ આજે પણ દ્રષ્ટીરહીત લોકોના જીવનમાં પથદર્શકનું કામ કરી રહી છે. દેશના વિવિધ ભાગોમાં એવી અનેકો સંસ્થા કાર્યરત છે જેઓ અંધજનો માટે કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ કરી રહી છે. જેમાંની એક સંસ્થા છે આણંદ જિલ્લાના મોગરી ખાતે આવેલ અંધ અપંગજન વિકાસ મંડળ.

 

અંધ અપંગજન વિકાસ મંડળ આણંદ જિલ્લામાં વર્ષ ૧૯૮૬ થી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યું છે. આ મંડળમાં ૬ થી ૨૦ વર્ષની વયજૂથના લગભગ ૯૦ બાળકોને શિક્ષણ સાથે જીવનોપયોગી તાલીમ આપવામાં આવે છે. ૧૦૦ ટકા દાનની રકમથી કાર્યરત આ મંડળ દ્વારા બાળકોને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ બ્રેઇલ લિપિના માધ્યમથી આપવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!