સોસાયટી ફોર બડીંગ બાયોલોજીસ્ટ તથા એન. એસ. એસ. કમિટી દ્વારા ચર્ચા સત્ર નું આયોજન
28 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રિકટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સમાં સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ તથા એન. એસ. એસ. કમિટીના સંયુકત ઉપક્રમે આજ રોજ સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગો શહેરમાં આપાયેલ સંબોધન પર ચર્ચા સત્ર નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્ર્મની શરુઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે પ્રો. આર. ડી. વરસાત સાહેબે ઉપસ્થિત રહી આશિર્વચન તથા શુભેચ્છા પાઠવી. સંસ્થાના પ્રિન્સીપાલ ડો. ડબગર સાહેબે પણ પરોક્ષ શુભેચ્છાઓ અને આશિર્વચન પાઠવ્યા. વિદ્યાર્થીઓને વિવેકાનંદજીનો વિડિયો બતાવીને ચર્ચા સત્ર ની શરુઆત કરવામાં આવી. કાર્યક્ર્મ માં ભાગ લીધેલ ૬૦ વિદ્યાર્થીઓએ ચર્ચામાં સક્રિય રીતે ભાગ લઈને રાષ્ટ્રીયતા અને સનાતન સંસ્કૃતિ પર પોતાના ઉત્કૃષ્ટ વિચારો રજૂ કર્યા. સ્વામીજીના ઉદબોધનમાં વિધાર્થીઓએ સમરસતા, વિવિધતામાં એકતા, વિવિધ ધર્મ એક સંસ્કૃતિ જેવા ઉમદા વિચારો રજૂ કર્યાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના આ. પ્રો. ડો. ધ્રુવ પંડ્યા તથા ડો. હરેશ ગોંડલીયા દ્રારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કુ. અંકિતા કુગશિયા, કુ. અમી પ્રજાપતી, શ્રી વિક્રમભાઈ પ્રજાપતી, શ્રી અશોકભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. આ આયોજનમાં ટી. વાય. બોટાની ના દરેક વિદ્યાર્થી સ્વયંસેવકોનું તથા સેવાકર્મીઓ શ્રી કેશવભાઈ, શ્રી કુરેશિભાઈનું ખૂબ મોટું યોગદાન રહ્યું. કાર્યક્રમ નો અંત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.