Shehera : શહેરા અણીયાદ રોડ ઉપર ગ્રેનાઇટ પથ્થર ભરેલા 7 ટેલર ખાણ ખનીજ વિભાગે ઝડપ્યા*
શહેરા
નિલેશ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિના વાહનને અટકાવવા માટે તેમજ ઓવરલોડ વહન સામે કાર્યવાહી માં હતી ત્યારે શહેરા અણીયાદ રોડ ઉપરથી કેટલાક વાહનો ગ્રેનાઇટ પથ્થર ભરી પસાર થઈ રહ્યા હતા હોવાથી માહિતી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ટીમ મળી હતી આ માહિતી આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી શહેરા અણીયાદ રોડ પર આવેલા કેશવ મેદાન પાસેથી પસાર થતા ગ્રેનાઇટ પથ્થર બરેલી નવ ટેલરો ઉભા રાખવા હતા એક સાથે વાહનનો ઉભા રાખવામાં આવતા કેટલાક ટેલરો ચાલક સ્થળ પરથી ભાગી ગયા હતા જેને લઈને અન્ય વાહનો ચાલકોની મદદ તમામ વાહનો ગોધરા ખાતે વજન કાંટા લઈ જવામાં આવ્યા હતા જે ૭ ટેલરો ઓવરલોડ રીતે ગ્રેનાઇટ પથ્થર ભરેલી હોવાથી સામે આવ્યું હતું જ્યારે બે ટેલરોમાં પાસ પરમિટ મુજબ ગ્રેનાઇટ પથ્થર બરેલી હોવાનું જણાયું આવતાં બે ટેલરોને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓવરલોડ ગ્રેનાઇટ પથ્થરો જથ્થો ભરેલી સાથે વાહનોને ઝડપીને પાડી અંદાજિત રૂપિયા બે કરોડ ઉપરાંત મુદ્દા માલ જબ કરી ડનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી