Manipur : મણિપુરમાં SDPOની હત્યા મામલે આદિવાસી ધારાસભ્યોએ કેન્દ્ર પાસેથી હસ્તક્ષેપની માંગ કરી
આ સપ્તાહની શરૂઆતમાં SDPO (સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર)ની હત્યા બાદ મણિપુરના મોરેહ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના 10 આદિવાસી ધારાસભ્યોએ લોકો સાથે રાજ્ય દળોના વર્તન પર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્યોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેઓએ ફરજ દરમિયાન SDPOના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. આ તમામ ધારાસભ્યો કુકી-ઝોમી-હમર સમુદાયના છે.
ધારાસભ્યોએ કહ્યું કે જમીની અહેવાલોના આધારે, અમે તેંગનોપલ જિલ્લામાં મોરેહ અને અન્ય સ્થળોએ લોકો સામે રાજ્ય દળો દ્વારા ચાલી રહેલા અતિરેક અને અત્યાચારોને પ્રકાશિત કરવા માંગીએ છીએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્ય દળોએ નાગરિકો પર ત્રાસ, આગચંપી, અંધાધૂંધ ગોળીબાર અને લૂંટફાટનો આશરો લીધો હતો અને તેમને ભાગી જવા માટે મજબૂર કર્યા હતા.
દરમિયાન, ધારાસભ્યોના આરોપો પર, અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે મોરેહમાં અભિયાન એવી રીતે ચલાવવામાં આવ્યું છે કે કોઈ નાગરિક અધિકારોનું ઉલ્લંઘન ન થાય. તેમણે કહ્યું કે આ ઓપરેશન રાજ્ય અને કેન્દ્રીય દળો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.